વડોદરાનો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો, રૂ.25 હજારની માગી હતી લાંચ


  • Published By :
  • Published Date : 2023-06-06 22:01:56

રાજ્યમાં લાંચીયા અધિકારીઓને પકડવા માટે ACB છટકું ગોઠવતી હોય છે. આવી જ એક ટ્રેપમાં વડોદરાના નાયબ મામલતદાર કેતન શાહને ભરૂચ ACBએ ઝડપી લીધો છે. નાયબ મામતલતદાર કેતન શાહે રૂ.25 હજારની લાંચ લીધી હતી. ફરિયાદીની મિલકત સીલ ના કરવા બદલ લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની મિલકત સીલ ન કરવા અને લોનના પૈસા ચૂકવવા બે મહિનાની મુદત માગી હતી. પરંતુ ફરિયાદીની મિલકત સીલ કરી દેવાની ધમકી આપીને તેની પાસે લાંચ માગવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો હતો.


ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપ્યો


ફરિયાદીએ સમગ્ર મામલે ભરૂચ ACBમાં ફરિયાદ કરી હતી. ભરૂચ ACBએ નાયબ મામલતદાર કેતન શાહને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. સીટી મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ સફળ થઈ છે. ભરૂચ ACBએ ભરૂચ ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ કેતનકુમાર હસમુખલાલ શાહ છે. હોદ્દો- વર્ગ-3- સર્કલ ઓફીસર(નાયબ મામલતદાર) છે. ગુનાનું સ્થળ સર્કલ ઓફીસરની કેબીન, મામલતદારની કચેરી, વડોદરા હતું. 


25000ની લાંચની માંગી હતી


ફરિયાદીએ 2016માં  એસ.બી.આઇ. બેંક માંથી  રૂ.16,50,000 ની હોમ લોન લીધી હતી. જે લોનના હપ્તા લોકડાઉન દરમિયાન તેઓથી ભરી શકાયેલ નહી. જેથી એસ.બી.આઇ. બેંક દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરની કોર્ટમાં No.EC/secu.order/Case No.164-2021/2022થી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા કલેક્ટર વડોદરાએ મામલતદાર  વડોદરા શહેર(પુર્વ)ને ફરીયાદીના મકાનનો કબજો લેવા/સીલ કરવાનો હુકમ કરેલ. જે અન્વયે મામલતદાર વડોદરા શહેર (પુર્વ)એ ફરીયાદીને તેઓના મકાનનો કબ્જો એસ.બી.આઇ. બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ કાઢતા ફરીયાદીએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ) તથા આ કામના આરોપીને રૂબરૂ મળી નોટીસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપવા ગયેલ જે અરજી સ્વીકારેલ નહી. જેથી ફરીયાદીએ વારંવાર તેઓને આજીજી કરી વિનંતી કરતા તેઓએ ફરીયદીની વાત સ્વીકારેલ. પરંતુ મુદત વધારવા માટે તેઓ પાસે રૂ.25000 ની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.