Vadodara : સુનાવણી દરમિયાન વકીલને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 14:39:24

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટથી પણ હાર્ટ એટેકનો કિસ્સો આવ્યો હતો ઉપરાંત વડોદરામાં પણ એક વકીલનું મોત કોર્ટરૂમમાં હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર જે વકીલનું મોત થયું છે તેમનું નામ જગદીશ જાદવ છે. કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુનાવણી દરમિયાન તે અચાનક ઢળી પડ્યા, સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું.

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

53 વર્ષીય વકીલનું થયું હાર્ટ એટેકને કારણે મોત

યુવાનોમાં ,વિદ્યાર્થીઓમાં જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે તે ચિંતાજનક છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો આ આંકડો સતત વધી રહ્યો છે. પ્રતિદિન કોઈનું મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી માહિતી સામે આવતી હોય છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકને કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે તેવી વાત સામે આવી છે. કોર્ટ રૂમમાં કેસની સુનાવણી દરમિયાન સિનિયર વકીલ અચાનક ઢળી પડ્યા. 53 વર્ષના વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવ કોર્ટરૂમમાં પોતાના કેસની દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને બેચેનીનો અનુભવ થયો. 


સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેની પહેલા થઈ ગયું મોત 

બેચેનીનો અનુભવ થયા બાદ તે ઢળી પડ્યા. સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે વકીલનું મોત થયું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વકીલનું મોત થવાને કારણે શોકમાં તેમજ વકીલ મંડળમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એવું માનવામાં આવતું હતું કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ હવે આ ચર્ચા પર આઈસીએમઆરે પૂર્ણવિરામ મૂકી દીધું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.