Vadodara : Congressના નેતાનો Congress સામે જ ઉકળાટ! કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ BJPના વખાણ કરતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-12 09:32:56

રાજકીય નિષ્ણાત અનેક વખત કહેતા હોય છે કે ભાજપ સ્ટ્રેટર્જિથી આગળ વધે છે. ગમે તે ચૂંટણી કેમ ન હોય તેને જીતવા માટે ભાજપના કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. પરંતુ કોંગ્રેસ ચૂંટણી આવે છે ત્યારે જાગે છે! ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજકારણથી જોડાયેલા નવા નવા સમાચાર આવશે અને અવનવા નિવેદનો પણ આવશે. એવું જ એક નિવેદન કોંગ્રેસના નેતાએ આપ્યું છે જેમાં તેમનો ભાજપ પ્રત્યે પ્રેમ છલકાયો છે. 

કોંગ્રેસના નેતાએ કર્યા ભાજપના વખાણ

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓની વ્યથા, પાર્ટી પ્રત્યેની નારાજગી છલકાઈ જતી હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાજપના નેતાઓ એવા નિવેદનો આપતા દેખાય છે. ત્યારે વડોદરાના પાદરામાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ પાર્ટીને લઈ બળાપો કાઢ્યો .આ કાર્યક્રમમાં અર્જુનસિંહ પઢિયાર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બન્યું એવું કે, કોંગ્રેસના નેતા ભાજપના વખાણ કરવા લાગ્યા. 

 

સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત  કરી! 

કોંગ્રેસના સ્નેહમિલનમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં 59 મહિના ખેસ બાજુ જોતા નથી અને કોંગ્રેસ ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ ધોઈને પહેરે છે. હાલ તો કોંગ્રેસના જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાનો જ ભાજપની વાહવાહી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાતા કેટલીય ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસના આ નેતાએ ભાજપની ચૂંટણી રણનીતિના પણ વખાણ કર્યા હતા. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જિલ્લા પંચાયતની વડુ સીટ પરથી સદસ્ય છે. આ સાથે અર્જુનસિંહ અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. 

ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી! 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી અને ચૂંટણીને લઈ કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણી પહેલા ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે વડોદરાના રાજકારણમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.