વડોદરામાં કોમી અશાંતિ, બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13ની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 11:38:11

વડોદરાના માંડવી-પાણીગેટ ચાર રસ્તા પાસે ગઈકાલે સોમવારે મોડી રાત્રે ગણેશજીની સવારી વખતે કોમી ભડકો થયો હતો. બે જૂથે એકબીજા પર પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી સર્જાઈ હતી. સમગ્ર ઘટના સામે આવતા પોલીસે સીસીટીવીના આધારે પોલીસે 13 આરોપીની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી બે ભાઈઓ યશ કહાર અને ચાર્મીસ કહાર હજી ફરાર છે. યશ કહાર ભાજપ યુવા મોરચા શહેર કારોબારી સભ્ય છે. તોફાની તત્વો દ્વારા સોડાની બોટલ અને પેટ્રોલ બોમ્બ ફેંકવાના પ્રયાસ કરવામાં આવ્યો. અથડામણની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


કઈ રીતે અશાંતિ સર્જાઈ?


શહેરના પાણીગેટથી વાઘોડિયા રોડ આયુર્વેદિક ત્રણ રસ્તા તરફ જઈ રહેલી શ્રીજીની સવારી દરમિયાન કેટલાંક અસામાજિક તત્ત્વોએ મોડી રાત્રે શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. બે કોમ વચ્ચે કાંકરીચાળો થતાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળાએ પાણીગેટ દરવાજા પાસે આવેલી મસ્જિદના કાચ તેમજ રસ્તા ઉપર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત એકથી વધુ લારીઓ ઊધી પાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે મોડી રાત્રે 13 તોફાનીની ધરપકડ કરી હતી. દરમિયાન સિટી પોલીસ મથકમાં 30 લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બનેલા આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભાગદોડ અને પથ્થરમારાનાં દૃશ્યો જોવા મળ્યાં છે.

ગણેશ મહોત્સવના આરંભ વખતે જ કોમી અશાંતિ સર્જાય તે ચિંતાજનક બાબત છે આપણે ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ કે ભગવાન ગણેશ સૌને સદબુદ્ધિ આપે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.