અમદાવાદમાં આજથી ફરી શરૂ થયું રસીકરણ, તમામ હેલ્થ સેન્ટર પર લઈ શકાશે રસીનો ડોઝ


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:06

ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક બન્યું છે, દેશમાં 90 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પરિસ્થિતીથી દુનિયાભરમાં ચિંતાનો વિષય બની છે. ગુજરાત સરકારે પણ રાજ્ય સરકાર પાસે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી હતી. લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. જો કે હવે ફરીથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.


રાજ્ય સરકાર એક્સનમાં


ચીન બાદ સિંગાપોર, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકામાં પણ કોરોના કેસ વધ્યા છે. ભારતમાં પણ પ્રવાસીઓના કારણે ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે. આ કારણે ગુજરાત સરકાર સક્રિય બની છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર્રેશને તો કોરોનાને લઈ રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું છે. શહેરના તમામ  અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી લોકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.


AMCને મળ્યા 43 હજાર ડોઝ


અમદાવાદમાં આજથી જ તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. ભારત સરકાર તરફથી મનપાને કોવિશિલ્ડ-કોવેક્સિનના કુલ 43 હજાર ડોઝ કરાયા પ્રોવાઇડ કરવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.