વેકેશનમાં ફરવા જતા લોકો માટે ખુશખબર, ST નિગમ 1400થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે


  • Published By :
  • Published Date : 2023-04-25 16:31:34

ઉનાળું વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવા કે વતન જવા માટે પ્લાન બનાવતા હોય તેવા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એસટી નિગમે મુસાફરોને સમયસર બસ મળી રહે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. એસટી નિગમે મુસાફરોની સુવિધા માટે 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કર્યું છે.


સમગ્ર રાજ્યમાં દોડશે એક્સ્ટ્રા બસ


ST નિગમ સુરતથી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમના અલગ-અલગ ડિવિઝનમાંથી એકસ્ટ્રા બસ દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ડિવિઝમાંથી પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, તેમજ યાત્રાધામ તરફ એક્સ્ટ્રા બસ દોડાવી રહ્યા છે. 


તીર્થધામો માટે ST નિગમની ખાસ વ્યવસ્થા


અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.


બસ માટે ઓનલાઇન બુકીંગ


ST નિગમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બસ માટે ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકશે. ગ્રુપ બુકીંગ પર નિયમ પ્રમાણે ડિસ્કાઉન્ટ પણ મળશે. તેમજ જે તરફ મુસાફરોનો ધસારો વધે તે તરફ એક્સ્ટ્રા બસ દોડાવવા સૂચના આપવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.