Uttarkashi Tunnel Rescue : ગઈકાલે પૂર્ણ થવાની હતી કામગીરી પરંતુ મળી અસફળતા!શ્રમિકો થોડા મીટર જ દૂર છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:15:53

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે એવા સમાચાર હતા કે માત્ર થોડા કલાકોની અંદર શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી જશે. આ સમાચાર સામે આવતા શ્રમિકોના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. તેમને એવું હતું કે થોડા કલાકોની અંદર તે પોતાના પરિવારજનને મળશે પરંતુ હજી સુધી તેઓ પોતાના પરિવારના સભ્યને મળી શક્યા નથી. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં તો પહોંચી ગયું છે, થોડા મીટર જ બાકી છે પરંતુ આ થોડા મીટરનું અંતર કાપવું અઘરૂં છે.

 

રેસ્ક્યુ કામગીરીનો આજે 13મો દિવસ!

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ટેક્નોલોજી, અલગ અલગ રીતથી પ્રયાસો થઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ સહિત બચાવ કામગીરી માટે વિવિધ ટીમો પણ ઉપસ્થિત છે. એમ્બ્યુલન્સને પણ રાખવામાં આવી છે ઉપરાંત વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે શ્રમિકોને સારવાર ત્વરીત મળી રહે. રેસ્ક્યુની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ટનલમાં ફસાયેલાએ  41 શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, અંતિમ તબક્કામાં આ કામગીરી પહોંચી છે પરંતુ અંતિમ તબક્કામાં કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શુક્રવારે બચાવ કામગીરીનો 13મો દિવસ છે. 

ગઈકાલે પૂર્ણ થવાની હતી રેસ્ક્યુની કામગીરી પરંતુ...  

આમ તો આ રેસ્ક્યુ ગઈકાલે જ પૂર્ણ થઈ જશે તેવી આશા હતી, અધિકારીઓએ પણ આવી આશા રાખી હતી પરંતુ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું. થોડા જ મીટરનું અંતર બાકી હતું ત્યારે અનેક વખત ડ્રિલ મશીન બંધ પડી ગયું. મશીન બગડી જવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનને સ્થગિત કરવામાં આવ્યું, ત્યારે એવી માહિતી સામે આવી છે કે ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશનને શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્યને આગળ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.       



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.