Uttarkashi Tunnel Rescue : ગઈકાલે પૂર્ણ થવાની હતી કામગીરી પરંતુ મળી અસફળતા!શ્રમિકો થોડા મીટર જ દૂર છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:15:53

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે એવા સમાચાર હતા કે માત્ર થોડા કલાકોની અંદર શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી જશે. આ સમાચાર સામે આવતા શ્રમિકોના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. તેમને એવું હતું કે થોડા કલાકોની અંદર તે પોતાના પરિવારજનને મળશે પરંતુ હજી સુધી તેઓ પોતાના પરિવારના સભ્યને મળી શક્યા નથી. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં તો પહોંચી ગયું છે, થોડા મીટર જ બાકી છે પરંતુ આ થોડા મીટરનું અંતર કાપવું અઘરૂં છે.

 

રેસ્ક્યુ કામગીરીનો આજે 13મો દિવસ!

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ટેક્નોલોજી, અલગ અલગ રીતથી પ્રયાસો થઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ સહિત બચાવ કામગીરી માટે વિવિધ ટીમો પણ ઉપસ્થિત છે. એમ્બ્યુલન્સને પણ રાખવામાં આવી છે ઉપરાંત વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે શ્રમિકોને સારવાર ત્વરીત મળી રહે. રેસ્ક્યુની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ટનલમાં ફસાયેલાએ  41 શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, અંતિમ તબક્કામાં આ કામગીરી પહોંચી છે પરંતુ અંતિમ તબક્કામાં કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શુક્રવારે બચાવ કામગીરીનો 13મો દિવસ છે. 

ગઈકાલે પૂર્ણ થવાની હતી રેસ્ક્યુની કામગીરી પરંતુ...  

આમ તો આ રેસ્ક્યુ ગઈકાલે જ પૂર્ણ થઈ જશે તેવી આશા હતી, અધિકારીઓએ પણ આવી આશા રાખી હતી પરંતુ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું. થોડા જ મીટરનું અંતર બાકી હતું ત્યારે અનેક વખત ડ્રિલ મશીન બંધ પડી ગયું. મશીન બગડી જવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનને સ્થગિત કરવામાં આવ્યું, ત્યારે એવી માહિતી સામે આવી છે કે ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશનને શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્યને આગળ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.