Uttarkashi Tunnel Collapse: 10 દિવસથી ટનલની અંદર ફસાયા છે 41 શ્રમિકો, શ્રમિકોની પરિસ્થિતિ જાણવા મોકલાયો કેમેરો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-21 10:19:58

ઉત્તરકાશીમાં છેલ્લા ઘણા સમયથી ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે જેમને બચાવવા માટે 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે. શ્રમિકોને સુરશ્રિત ટનલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનની મદદથી ઓક્સિજન શ્રમિકોને પહોંચાડાઈ રહ્યું છે. શ્રમિકોના પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સુરંગની અંદર સીસીટીવી કેમેરો મોકલવામાં આવ્યો છે જેના ફૂટેજ સામે આવ્યા છે. સુરંગની અંદર કેટલા શ્રમિકો ફસાયા છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.           

10 દિવસ વીતિ ગયા પરંતુ હજી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન  

દિવાળીના સમય દરમિયાન ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. જીવન અને મરણ વચ્ચે શ્રમિકો ઝોલા ખાઈ રહ્યા છે. પાઈપલાઈનની મદદથી શ્રમિકોને પાણી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રમિકોનો જીવ બચી જાય તે માટે અનેક જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. 


સુરંગની અંદરના સીસીટીવી આવ્યા સામે 

પીએમ મોદી પણ શ્રમિકોની મદદે આવ્યા છે. સતત આ ઘટના પર વોચ રાખવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે સુરંગમાં ફસાસેયા શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમામ શ્રમિકો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગેની માહિતી આપી હતી. મહત્વનું છે કે 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા નથી મળી! શ્રમિકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.