Uttarkashi Tunnel Collapse: 10 દિવસથી ટનલની અંદર ફસાયા છે 41 શ્રમિકો, શ્રમિકોની પરિસ્થિતિ જાણવા મોકલાયો કેમેરો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-21 10:19:58

ઉત્તરકાશીમાં છેલ્લા ઘણા સમયથી ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે જેમને બચાવવા માટે 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે. શ્રમિકોને સુરશ્રિત ટનલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનની મદદથી ઓક્સિજન શ્રમિકોને પહોંચાડાઈ રહ્યું છે. શ્રમિકોના પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સુરંગની અંદર સીસીટીવી કેમેરો મોકલવામાં આવ્યો છે જેના ફૂટેજ સામે આવ્યા છે. સુરંગની અંદર કેટલા શ્રમિકો ફસાયા છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.           

10 દિવસ વીતિ ગયા પરંતુ હજી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન  

દિવાળીના સમય દરમિયાન ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. જીવન અને મરણ વચ્ચે શ્રમિકો ઝોલા ખાઈ રહ્યા છે. પાઈપલાઈનની મદદથી શ્રમિકોને પાણી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રમિકોનો જીવ બચી જાય તે માટે અનેક જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. 


સુરંગની અંદરના સીસીટીવી આવ્યા સામે 

પીએમ મોદી પણ શ્રમિકોની મદદે આવ્યા છે. સતત આ ઘટના પર વોચ રાખવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે સુરંગમાં ફસાસેયા શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમામ શ્રમિકો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગેની માહિતી આપી હતી. મહત્વનું છે કે 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા નથી મળી! શ્રમિકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.       



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.