Uttarkashi Tunnel: અમેરિકાના ઓગર મશીને 25 મીટર સુધી કર્યું ડ્રિલિંગ, મજુરોની સુરક્ષાની આશા વધી


  • Published By :
  • Published Date : 2023-11-17 15:27:22

ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલક્યારા ટનેલમાં 6 દિવસોથી ફસાયેલા 40 મજુરોને બહાર કાઢવા માટે અમેરિકાના ઓગર મશીનથી પાઈપ નાંખવાનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 25 મીટર સુધી ઓગર મશીન દ્વારા ડ્રિલ કરવામાં આવ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો માટે ઓક્સિજન, ખાદ્ય સામગ્રી, દવાઓનો પુરવઠો સતત પુરો પાડવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના પૂર્વ જનરલ મેનેજર કર્નલ દીપક પાટિલના જણાવ્યા પ્રમાણે પ્લાન બીની સફળ થવાની સંભાવના વધુ હતી. તેમણે કહ્યું કે સંભવિત યોજના માટે પણ ઉપકરણો અને મશીનો ઉપલબ્ધ છે. જો પ્લાન સફળ રહ્યો તો આજે સાંજ સુધીમાં તમામ મજુરોને બહાર નિકાળી શકાશે. 


અમેરિકાથી મંગાવવામાં આવ્યું મશીન


અમેરિકાના ઓગર મશીનથી અત્યાર સુધી 25 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવી ચુકી છે. શુક્રવાર સવારે ડ્રિલિંગના વખતે બોલ્ડર લાવવામાં આવ્યું હતું. અમેરિકાના ઓગર મશીનથી 900 એમએમ વ્યાસથી લગભગ 10થી 12 પાઈપ નાખ્યા છે. 


5 દિવસથી ફસાયા છે મજુરો


સિલક્યારા સુરંગ દુર્ઘટનાના પાંચ દિવસ પુરા થઈ ચુક્યા છે. આ જે રેસ્ક્યુનો છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગમાં ફસાયેલા 40 મજુરોને બચાવવા માટે દેહરાદુનથી ઓગર મશીન મંગાવવામા આવ્યું હતું.  આ મશીન ત્રણ હેરક્યુલિસ વિમાનોથી ચિન્યાલીસૌડ હવાઈ મથકે ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે યમનોત્રી હાઈવે પર સિલક્યારા ટનેલનો એક ભાગ 12 નવેમ્બરે રવિવારે સુવારે ઢળી પડ્યો હતો. જેમાં 40 મજુરો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે કાટમાળમાં શક્તિશાળી અમેરિકા ઓગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો પૈકી 15 ઝારખંડના ત્યારે અન્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા અને આસામના વતની છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.