Uttarakhand Tunnel : 41 શ્રમિકોને બહારમાં કાઢવા માટે બનાવાયા અલગ અલગ પ્લાન પરંતુ બધા નિષ્ફળ! જાણો હવે કઈ પદ્ધતિનો કરાશે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-11-27 14:16:36

ઉત્તરાખંડમાં દિવાળી પહેલા એક ઘટના બની હતી. નિર્માણાધીન ટનલ પડી જવાને કારણે 41 શ્રમિકોના જીવ જોખમમાં છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવને બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે બધી નિષ્ફળ સાબિત થઈ છે. શ્રમિકોને બહાર કાઢવવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. પરંતુ ડ્રિલીંગ મશીન અનેક વખત બંધ પડી રહ્યું છે જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ છે. ટનલ આગળ ડ્રિલીંગ મશીન ખરાબ થઈ રહી છે! કોઈ મશીન નથી ટકી શક્યું જેને કારણે હવે મેન્યુઅલ ડ્રિલીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. એક સાથે બે-ત્રણ વિકલ્પો પર કામ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ટિકલ ડ્રીલિંગની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.   

 



અલગ અલગ નેતાઓ છે ત્યાં હાજર 

ઉત્તરાખંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. 41 શ્રમિકો ટનલની નીચે ફસાઈ ગયા છે. સલામત રીતે શ્રમિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 15 દિવસથી 41 શ્રમિકોને બચાવવા માટે અલગ અલગ ઉપાયો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ડ્રિલીંગ મશીનોને કામ પર લગાવવામાં આવી છે. અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે બધા ઉપાયોમાં નિષ્ફળતા મળી રહી છે. હજી સુધી શ્રમિકો સુધી નથી પહોંચી શકાયું. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પણ સતત આ મામલે અપડેટ થઈ રહ્યા છે. પી.કે.સચિવ, અજય કુમાર ભલ્લા સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તે માટે કેન્દ્રીય મંત્રી વી.કેસિંહે ટનલ પાસે બનેલા નાના મંદિરમાં પ્રાર્થના કરી હતી. 


41 શ્રમિકોને બહાર કાઢવા માટે કરાઈ રહી છે કામગીરી

મહત્વનું છે કે ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે 14 નવેમ્બરથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. વિદેશથી મશીન પણ રેસ્ક્યુ માટે મંગાવવામાં આવ્યું પરંતુ તે પણ ઉપયોગી સાબિત નથી થયું. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે. અને આ કામગીરી પૂર્ણ કરવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગશે. મહત્વનું છે કે અનેક દિવસો વીતિ ગયા પરંતુ હજી સુધી શ્રમિકો બહાર નથી આવ્યા. ક્યારે આવશે તેની જાણ નથી કારણ કે અનેક વખત આ રેસ્ક્યુની કામગીરીને અટકાવી પડી છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. ત્યારે આ ટનલમાં ફસાયેલા શ્રમિકો જલ્દી સુરક્ષિત બહાર નીકળે તેવી આશા.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.