Uttarakhand Tunnel Collapsed Update : થોડા કલાકોની અંદર બહાર આવી શકે છે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો, Rescue Operation અંતિમ તબક્કામાં


  • Published By :
  • Published Date : 2023-11-23 08:44:44

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકો માત્ર થોડા કલાકોની અંદર બહાર આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 41 શ્રમિકોને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન પોતાના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. શ્રમિકોને બહાર નીકાળવામાં આજે મોટી સફળતા મળી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદન અનુસાર સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાનું ઓપરેશન હવે અંતિમ તબક્કામાં છે. કામદારોને બહુ જલ્દી બહાર કાઢવામાં આવશે. શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તેમજ એમ્બ્યુલન્સની ટીમ હાજર છે. 

શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ટનલમાં પહોંચી!

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અલગ અલગ રીતથી શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા. રેસ્ક્યુની કામગીરી પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં પહોંચી છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌઢ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે. NDRFની ટીમે શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢવા માટે પોતાના સાથે પૈડાવાળા સ્ટ્રેચર લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રમિકો એવી પરિસ્થિતિમાં નહીં હોય કે તે સુરંગની બહાર સુધી ચાલી શકે તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.