Uttarakhand Tunnel Collapsed Update : થોડા કલાકોની અંદર બહાર આવી શકે છે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો, Rescue Operation અંતિમ તબક્કામાં


  • Published By :
  • Published Date : 2023-11-23 08:44:44

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકો માત્ર થોડા કલાકોની અંદર બહાર આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 41 શ્રમિકોને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન પોતાના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. શ્રમિકોને બહાર નીકાળવામાં આજે મોટી સફળતા મળી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદન અનુસાર સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાનું ઓપરેશન હવે અંતિમ તબક્કામાં છે. કામદારોને બહુ જલ્દી બહાર કાઢવામાં આવશે. શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તેમજ એમ્બ્યુલન્સની ટીમ હાજર છે. 

શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ટનલમાં પહોંચી!

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અલગ અલગ રીતથી શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા. રેસ્ક્યુની કામગીરી પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં પહોંચી છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌઢ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે. NDRFની ટીમે શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢવા માટે પોતાના સાથે પૈડાવાળા સ્ટ્રેચર લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રમિકો એવી પરિસ્થિતિમાં નહીં હોય કે તે સુરંગની બહાર સુધી ચાલી શકે તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.