Uttarakhand Tunnel Collapsed : ફસાયેલા લોકોનું ચાલી રહ્યું છે રેસ્ક્યુ, બગડ્યું ડ્રિલીંગ મશીન ખોરવાઈ કામગીરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-15 09:38:35

દિવાળી પહેલા ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો.  40 શ્રમિકોના જીવ આ કાટમાળ નીચે દબાયેલા છે. શનિવાર મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી, શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પર શરૂ કરવામાં આવ્યું પરંતુ 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 40 જેટલી જીંદગીઓ પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. બચાવ કામગીરી દરમિયાન ડ્રિલિંગ મશીન તૂટી ગયું હતું જેની સીધી અસર રેસ્ક્યુની કામગીરી પર પડી હતી. ઉલ્લેખનિય છે કે ક્ષતિગ્રસ્ત મશીનને દૂર કરીને નવું ડ્રિલિંગ મશીનને કામ પર લગાવવામાં આવ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.


ડ્રીલ મશીન બગડતા ખોરવાઈ રેસ્ક્યુની કામગીરી

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડતા તેની નીચે 40 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. એવું માનવામાં આવતું હતું કે થોડા કલાકોની અંદર આ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે, રેસ્ક્યુની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ શ્રમિકોના જીવ પર જોખમ હજી પણ એટલું જ છે. રેસ્ક્યુની કામગીરી કરવા માટે જે ડ્રીલ મશીનની મદદ લેવામાં આવી રહી હતી તે બગડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી પર અસર થઈ. ખરાબ મશીનને હટાવીને ફરીથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને એવી પણ માહિતી સામે આવી છે જે પ્રમાણે આજ સાંજ સુધીમાં આ બચાવ કાર્ય પૂર્ણ થઈ શકે છે.   



40 શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા!

નિર્માણ પામી રહેલી ઈમારતો, બિલ્ડીંગો, બ્રિજો સાથે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને નુકસાન થાય છે. ત્યારે એક દુર્ઘટના શનિવાર મોડી રાત્રે ઉત્તરાખંડમાં બની હતી. નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતા તે કાટમાળની નીચે 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ હતી પરંતુ અનેક કલાકો વિત્યા પછી પણ તે શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ શ્રમિકો હજી કાટમાળની નીચે ફસાયેલા છે.



રાજ્યના મુખ્યમંત્રીએ લીધી હતી સ્થળ મુલાકાત  

 શ્રમિકો સુધી ઓક્સિજન પાઈપલાઈનની મદદથી પહોંચાડવામાં આવી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી હતી કે આ ટલનમાં જે શ્રમિકો ફસાયા છે તેમાં બિહારના 4, ઉત્તરાખંડના 2, બંગાળના 3, યુપીના 8, ઓરિસ્સાના 5, ઝારખંડના 15, આસામના 2 અને હિમાચલ પ્રદેશના એક કર્મચારીનો સમાવેશ થાય છે. પાણી પણ શ્રમિકોને પાઈપલાઈનની મદદથી પહોંચાડવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી ઉપરાંત પીએમ મોદીએ પણ આ ઘટનાની જાણકારી મેળવી હતી તેવી માહિતી સીએમએ આપી છે. એવી માહિતી સામે આવી છે કે જો બધુ અનુકુળ રહ્યું તો આજ સાંજ કે રાત સુધીમાં શ્રમિકોનું રેસ્ક્યુ થઈ શકે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.