Uttar Pradesh : ચિતા પર માતાનો શવ હતો અને દીકરીઓ મિલકતની વહેંચણીને લઈ ઝઘડતી રહી! જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-17 10:27:53

કહેવાય છે કે માતા-પિતા અને તેના સંતાનનો સંબંધ એક નિસ્વાર્થ સંબંધ હોય છે. પરંતુ હવે તો કળિયુગ આવી ગયો છે કે માતા પિતાને પણ બાળકો પૈસા માટે ભૂલી ગયા છે! પૈસો તો માણસને માણસાઈ પણ ભુલાવી શકે છે. પૈસો માણસને શું શું કરાવી શકે એનું એક ઉદાહરણ ઉત્તરપ્રદેશથી સામે આવ્યું છે. યુપીના મથુરામાં માતાના અવસાન બાદ દીકરીઓ વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ થયો હતો. માતાનો મૃતદેહ સ્મશાનમાં 8 થી 9 કલાક પડ્યો રહ્યો અને દીકરીઓ ત્યાં જમીન માટે બાઝતી રહી. 

માતાનો મૃતદેહ સ્મશાનમાં પડ્યો રહ્યો અને દીકરીઓ ઝઘડતી રહી!

ઉત્તરપ્રદેશના મથુરાથી માનવતાને શરમાવે એવી એક ઘટના સામે આવી છે. એક મામલો સામે આવ્યો છે જેમાં 85 વર્ષીય મહિલા પુષ્પાના મૃતદેહને 8થી 9 કલાક સુધી ચિતા પર રાખવામાં આવી પરંતુ તેમના અંતિમ સંસ્કાર ન થયા. કારણ કે તેમની દીકરીઓ જમીન માટે ઝઘડતી રહી. માતાના મૃત્યુ બાદ તેની ત્રણ દીકરીઓ વચ્ચે જમીનને લઇને ઝઘડો થયો તો એક દીકરીએ હઠ કરી કે મને મારો ભાગ નહિ મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવા દે. એ ઝઘડામાં અને ઝઘડામાં 8 થી 9 કલાક સુધી સ્મશાનમાં માંનો મૃતદેહ પડ્યો રહ્યો. 

માતાની મિલકતની વહેંચણીને લઈ થયો ઝઘડો!

મૃતક પુષ્પાને કોઈ પુત્ર નથી. તેમને માત્ર ત્રણ દીકરીઓ છે. જેમના નામ મિથિલેશ, સુનીતા અને શશી છે. છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા મોટી પુત્રી મિથિલેશના ઘરે રહેતી હતી. મિથિલેશે તેની માતાને લગભગ દોઢ વીઘા જમીન વેચવા માટે મનાવી લીધા હતા અને આ વાત બીજી બે દીકરીઓને ખબર પડી ગઈ તો માંના મૃત્ય બાદ બંને એ ખેલ શરુ કર્યા. મોટી બહેનને દોષી ઠેરવીને તેની માતાના અંતિમ સંસ્કાર અટકાવ્યા. બંને બહેનોએ મિથલેશ સાથે તેમની માતાની મિલકતની વહેંચણીને લઈને ઝઘડો કર્યો.


પોલીસે આવી બહેનો વચ્ચે કરાવી સૂલેહ

બંને બહેનો સુનીતા અને શશિએ માંગ કરવાનું શરૂ કર્યું કે તેમની માતાની બાકીની મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવે તો જ એ અંતિમ સંસ્કાર થવા દેશે બહેનો વચ્ચે આ લડાઈ લાંબા સમય સુધી ચાલતી રહી. જેના પર સ્મશાન પર કામ કરતા લોકોએ પોલીસને જાણ કરી અંતે સાંજે 6.00 વાગ્યાના સુમારે ત્રણેય બહેનો વચ્ચે લેખિત કરાર થયો હતો, જેમાં મૃતકની બાકીની મિલકત શશી અને સુનિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે તેવું લખવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતિમ સંસ્કાર થયા. આ સમગ્ર ઘટનાને લગભગ 8 થી 9 કલાક જેટલો સમય લાગ્યો અને મૃતદેહને સ્મશાનમાં રાખવામાં આવ્યો.


પ્રોપર્ટી માટે થઈ રહ્યા છે ઝઘડા! 

માના મરવાનું દુઃખ તો સાઈડમાં રહ્યું પણ આ તો પ્રોપર્ટી માટે ઝઘડિયા. આ તો ઝાડ પડ્યું અને જગ્યા થઇ જેવી વાત છે એટલે આ લોકો તો એની માના મરવાની રાહ જોતા હતા કે માં મરે તો પૈસા અને જમીન મળે... કળિયુગમાં હજુ આવા કિસ્સા સાંભળવા મળે તો ચોંકતા નહિ હવે પ્રોપર્ટી માટે થવું નોર્મલ છે!



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.