Uttar Pradesh : હાથરસ દુર્ઘટનાના પીડિત પરિવારને મળ્યા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પરિવારજનો સાથે કરી વાત..


  • Published By :
  • Published Date : 2024-07-05 16:23:58

દેશમાં રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી.. અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે.. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સત્સંગ સમારોહમાં નાસભાગ થતા લોકોના જીવ ગયા હતા. હાથરસના ફુલરઈ ગામમાં બનેલી આ ઘટનામાં 122 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગે બાળકો તેમજ મહિલાઓનો સમાવેશ હતો. પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી આજે હાથરસ ગયા હતા.    

ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સીએમએ  

ઉત્તરપ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.. સત્સંગમાં આવેલા લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા.. હાથરસમાં જે દુર્ઘટના બની તે ચર્ચાનો વિષય છે. એવી માહિતી પણ સામે આવી છે કે ભોલેબાબા (જેમના સત્સંગમાં) લોકો ભેગા થયા હતા તેમનું નામ એફઆઈઆરમાં સામેલ નથી.. એવી પણ માહિતી સામે આવી છે કે ભોલે બાબાનું કહેવું છે કે તે જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં હાજર ના હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવામાં આવી.. તે બાદ આજે રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. 


   

રાહુલ ગાંધી મળ્યા પીડિત પરિવારને  

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસમાં બનેલી દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળવા માટે અલીગઢ પહોંચ્યા હતા... અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળ્યા બાદ તેઓ હાથરસ પહોંચ્યા. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. જ્યારે પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા.  



સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે 

પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા પણ આપી છે... રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. ન્યાય અપાવાની કોશિશ કરવામાં આવશે તેવી વાત રાહુલ ગાંધીએ કરી હતી. મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવતી કાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને મળવા જઈ શકે છે...  



વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?