Uttar Pradesh : હાથરસ દુર્ઘટનાના પીડિત પરિવારને મળ્યા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પરિવારજનો સાથે કરી વાત..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-05 16:23:58

દેશમાં રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી.. અનેક લોકોના મોત દુર્ઘટનામાં થયા છે.. થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સત્સંગ સમારોહમાં નાસભાગ થતા લોકોના જીવ ગયા હતા. હાથરસના ફુલરઈ ગામમાં બનેલી આ ઘટનામાં 122 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગે બાળકો તેમજ મહિલાઓનો સમાવેશ હતો. પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી આજે હાથરસ ગયા હતા.    

ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સીએમએ  

ઉત્તરપ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.. સત્સંગમાં આવેલા લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા.. હાથરસમાં જે દુર્ઘટના બની તે ચર્ચાનો વિષય છે. એવી માહિતી પણ સામે આવી છે કે ભોલેબાબા (જેમના સત્સંગમાં) લોકો ભેગા થયા હતા તેમનું નામ એફઆઈઆરમાં સામેલ નથી.. એવી પણ માહિતી સામે આવી છે કે ભોલે બાબાનું કહેવું છે કે તે જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં હાજર ના હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઈજાગ્રસ્તોની ખબર અંતર પૂછવામાં આવી.. તે બાદ આજે રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. 


   

રાહુલ ગાંધી મળ્યા પીડિત પરિવારને  

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસમાં બનેલી દૂર્ઘટનાના પીડિત પરિવારોને મળવા માટે અલીગઢ પહોંચ્યા હતા... અલીગઢના પીલખાના ગામમાં હાથરસ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળ્યા બાદ તેઓ હાથરસ પહોંચ્યા. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. જ્યારે પીડિત પરિવારને મળવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે પીડિત પરિવારની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા.  



સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે 

પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા પણ આપી છે... રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે. ન્યાય અપાવાની કોશિશ કરવામાં આવશે તેવી વાત રાહુલ ગાંધીએ કરી હતી. મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. આવતી કાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી છે કે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને મળવા જઈ શકે છે...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?