સોશિયલ મીડિયા પર યુઝર્સે પૂછ્યા રેલવે મંત્રીને સવાલ, ઓડિશા ટ્રેન દુર્ઘટના વખતે ક્યાં ગયું 'કવચ'? અશ્વિની વૈષ્ણવનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-03 16:42:18

ઓડિશામાં રેલ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માત ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક વીડિયો તેમજ આ ઘટના અંગેની અપડેટ સતત મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત કવચ સિસ્ટમને લઈને પણ યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે. મંત્રીને સીધા સવાલ પૂછી રહ્યા છે કે ક્યાં ગયા  સુરક્ષા કવચને લઈ કરવામાં આવેલા દાવા? તે સિવાય સોશિયલ મીડિયા પર પોસ્ટર માસ્ટર # પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

  

યુઝર્સ પૂછી રહ્યા છે ક્યાં ગઈ કવચ સુરક્ષા સિસ્ટમ?

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રસિદ્ધિ પણ જલ્દીથી મળે છે તો ટ્રોલ પણ જલ્દી થવાય છે. ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટનામાં 200થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હવેથી રેલ અકસ્માત નહીં થાય, કવચ તેમને રોકી દેશે. ત્યારે આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને લઈ અનેક યુઝર્સ મંત્રીને સીધા પ્રશ્નો પૂછી રહ્યા છે કે જ્યારે ઓડિશામાં રેલ દુર્ઘટના સર્જાઈ ત્યારે કવચ ક્યાં હતું? હવે જાણીએ જે કવચની આટલી બધી વાત થઈ રહી છે તે શું છે? 

Image

શું છે કવચ જેની થઈ રહી છે ચર્ચા? 

રેલવેમાં થતાં અકસ્માતને રોકવા ભારતીય રેલવેએ કવચ નામની એક સુરક્ષા સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું હતું. એવો દાવો કરવામાં  આવ્યો હતો કે આ એક એવી સિસ્ટમ હતી જેનાંથી અકસ્માતને રોકી શકાય છે. જો બે ટ્રેન આમને સામને આવી ગઈ તો આ સિસ્ટમને કારણે ટ્રેન અનેક મીટર દૂર જ ઉભી રહી જશે જેને કારણે અકસ્માત અટકી જશે. આ સિસ્ટમનું જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અશ્વિની વૈષ્ણવ પોતે ટ્રેનમાં સવાર હતા. તે વખતે આ પરીક્ષણ સફળ થયું હતું. તે સમયે કવચ સિસ્ટમને લઈને જે દાવો કરવામાં આવ્યો હતો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મમતા બેનર્જીએ પણ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!