અમેરિકા: અલાબામાના શેરફિલ્ડમાં ભારતીય મૂળના મોટેલ માલિક પ્રવીણ પટેલની હત્યા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-15 22:37:50

અમેરિકામાં ભારતીય મૂળના મોટેલ માલિકો પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.  અમેરિકાના અલાબામાના શેફિલ્ડ શહેરમાં હિલક્રેસ્ટ નામની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે હત્યા કરી નાખવામાં આવી હતી. 76 વર્ષીય મોટેલ માલિક પ્રવીણભાઈ પટેલ પર  34 વર્ષના યુવક વિલિયમ જેરેમી મૂરે ગોળીબાર કર્યો હતો. પ્રવીણભાઈ પટેલ અને વિલિયમ જેરેમી મૂર વચ્ચે રૂમના ભાડા મામલે તકરાર થઈ હતી બાદમાં યુવકે તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી.


હત્યારાની ધરપકડ


શેફિલ્ડ પોલીસે આ મામલે વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂરની ઘટના બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક ત્યજી દેવાયેલા મકાનમાં સંતાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રવીણભાઈ પટેલની અલાબામાના ટસ્કમ્બિયામાં મોરિસન ફ્યુનરલ હોમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


મૃતકનો પરિવાર શોકમગ્ન


મૃતક પ્રવીણભાઈ પટેલના પરિવાર પર જાણો આભ તુટી પડ્યું છે. તેમના પરિવારમાં પત્ની રેણુકાબેન પટેલ અને બાળકો નીતલ પટેલ (સંદીપ) અને નિર્મલ પટેલ (જીનલ) છે. તેમને ત્રણ ભાઈઓ, હર્ષદ, ઈન્દ્રવદેન અને હરેન્દ્ર પટેલ, એક બહેન, મંજુ પટેલ અને પૌત્રો જયદેન, મૈયા, લીયા અને આરિયાના પટેલ પણ છે. તેમના માતા-પિતા રાવજીભાઈ અને મણીબેન પટેલ અને અન્ય એક ભાઈ હસમુખ પટેલનું અગાઉ અવસાન થયું હતું.



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .