અમેરિકામાં 1-2 નહીં પણ 186 બેંકો પર સંકટ, એક રિસર્ચ રિપોર્ટમાં કરાયો દાવો


  • Published By :
  • Published Date : 2023-03-19 16:26:57

અમેરિકામાં બેંકિંગ સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. એક અઠવાડિયાની અંદર બે બેંકો પડી ભાંગી છે અને ત્રીજી પતનની આરે છે. આ સંકટે હવે યુરોપને પણ ઘેરી લીધું છે. ત્યાંની મોટી બેંક ક્રેડિટ સુઈસ પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. 


186 બેંકો પતનના આરે


અમેરિકામાં બેંકિંગ સંકટ પર સોશિયલ સાયન્સ ઇ રિસર્ચ નેટવર્ક પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ નવા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વધુ 186 બેંકો પતનની આરે છે. બેંકોની આ સ્થિતિ વ્યાજ દરોમાં વધારા અને જંગી અનઈન્સ્યોર્ડ ડિપોઝીટને કારણે સર્જાઈ છે.સિલિકોન વેલી બેંક જે ઝડપથી પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ તે કલ્પના બહારની વાત છે.  


નાની બેંકોએ ચિંતા વધારી


અમેરિકામાં બેંકિંગ કટોકટી શરૂ થયા બાદ લોકો નાની બેંકોમાંથી પૈસા ઉપાડીને મોટી બેંકોમાં મુકી રહ્યા છે. તેઓ માને છે કે મોટી બેંકોમાં જોખમ ઓછું છે. 2001થી અમેરિકામાં 500થી વધુ બેંકો પડી ભાંગી છે. મોટાભાગના લોકો એ વિચારીને બેંકમાં પૈસા જમા કરાવે છે કે તેમના પૈસા ત્યાં સુરક્ષિત છે. પણ એવું બિલકુલ નથી. અમેરિકામાં જો કોઈ બેંક બેંક ડિફોલ્ટ થાય કે નાદાર થઈ જાય તો ડિપોઝીટરને 2.5 લાખ ડોલર મળે છે. પછી ભલે તમારા કરોડો ડોલર બેંકમાં જમા કેમ ન હોય.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.