ચીનની પોલ ખુલી, અમેરિકાએ ચાઈનીઝ બલુન અંગે કર્યો આ મોટો ખુલાસો, ડ્રેગનની ચિંતા વધી


  • Published By :
  • Published Date : 2023-02-14 14:44:13

અમેરિકામાં ચાઈનીઝ બલુન અને યુએફઓ તોડી પાડવામાં આવ્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે ચીને આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી ભારતથી ગલ્ફ દેશોમાં જાસૂસી કરી છે. હવે ચીનના આ જાસૂસી ફુગ્ગાઓનો સૌથી મહત્વપૂર્ણ કાટમાળ અમેરિકાના હાથમાં મળ્યો છે જે ડ્રેગનની પોલ ખોલી શકે છે. 


ચીન કરી રહ્યું હતું જાસુસી


અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને કહ્યું કે સેનાને હાઈ-એલ્ટિટ્યૂડ સ્પાય બલૂનના મુખ્ય સેન્સર મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની મદદથી છેલ્લા ઘણા સમયથી ગુપ્તચર દેખરેખ કરવામાં આવી રહી હતી. ચીન છેલ્લા ઘણા સમયથી આ જાસૂસી ફુગ્ગાઓની મદદથી આખી દુનિયા પર નજર રાખી રહ્યું છે. અમેરિકાએ ખુલાસો કર્યો છે કે આ જાસૂસી બલૂન ભારત, જાપાન, ગલ્ફ દેશો અને લેટિન અમેરિકન દેશો ઉપર ઉડી ચૂક્યું છે. 


અમેરિકાની એરફોર્સે તોડી પાડ્યું હતું


અમેરિકાની એરફોર્સે 10 દિવસ પહેલા જ  સાઉથ કેરોલિનાના કિનારે ફાઈટર જેટની મદદથી ચીનના આ જાસૂસી બલૂનને હવામાં તોડી પાડ્યું હતું. યુએસ આર્મીના નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે, ક્રૂએ ઘટનાસ્થળેથી નોંધપાત્ર કાટમાળ મેળવ્યો છે. તેમાં તમામ મુખ્ય સેન્સર અને ઈલેક્ટ્રોનિક પીસ પણ સામેલ છે. આ ચાઈનીઝ બલૂનને પહેલીવાર 4 ફેબ્રુઆરીએ નીચે ઉતારવામાં આવ્યું હતું. આ પહેલી રહસ્યમય વસ્તુ હતી જેને અમેરિકી સેના દ્વારા મિસાઈલમાંથી છોડવામાં આવી હતી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે પણ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અજાણી વસ્તુઓને મારવાના પગલાનો બચાવ કર્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે