બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવો ગોળીબાર, 11 લોકોને ગોળી મારી, 1નું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:25:58

બિહારના બેગુસરાઈમાં ગઈકાલે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અજાણ્યા યુવકોએ ટૂવ્હીલ પર આવીને અચાનક જ 11 લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું મોત થઈ ગયું હતું. બિહાર પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપી દીધા છે. 



CCTVમાં બાઈકર કેદ થયા 

પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બિહારના બેગુસરાઈ જિલ્લામાં રસ્તાઓ પર બે બાઇક પર આવેલા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યા પછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બેગુસરાઈ જિલ્લાના વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.  ગોળીબાર અનેક જગ્યાઓ પર થયો હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ગોળીબાર થયા તે પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં જ થયા હતા. તમામ ઘટનાની ગંભીરતનાને ધ્યાનમાં લઈ બેગુસરાય પોલીસે જિલ્લાની સરહદો બંધ કરી દીધી હતી અને શૂટરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.


CCTVમાં બાઈક ચાલકો કેદ થયા


મૃતકની ઓળખ ચંદન કુમાર તરીકે થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે મલ્લેહપુરમાં બે લોકોને ગોળી મારવામાં આવી હતી, બરૌની થર્મલ પાવર સ્ટેશન ચોક પાસે ત્રણ લોકોને ગોળી મારવામાં આવી હતી, બેને બરૌની શહેરમાં, બેને તિહરા બ્લોકમાં અને બેને બછવારા બ્લોકમાં ગોળી વાગી હતી.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.