બિહારના બેગુસરાયમાં અમેરિકા જેવો ગોળીબાર, 11 લોકોને ગોળી મારી, 1નું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 11:25:58

બિહારના બેગુસરાઈમાં ગઈકાલે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. અજાણ્યા યુવકોએ ટૂવ્હીલ પર આવીને અચાનક જ 11 લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું મોત થઈ ગયું હતું. બિહાર પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપી દીધા છે. 



CCTVમાં બાઈકર કેદ થયા 

પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બિહારના બેગુસરાઈ જિલ્લામાં રસ્તાઓ પર બે બાઇક પર આવેલા હુમલાખોરોએ લોકો પર ગોળીબાર કર્યા પછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બેગુસરાઈ જિલ્લાના વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા.  ગોળીબાર અનેક જગ્યાઓ પર થયો હતો પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ગોળીબાર થયા તે પોલીસ સ્ટેશનની બહારના વિસ્તારમાં જ થયા હતા. તમામ ઘટનાની ગંભીરતનાને ધ્યાનમાં લઈ બેગુસરાય પોલીસે જિલ્લાની સરહદો બંધ કરી દીધી હતી અને શૂટરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે.


CCTVમાં બાઈક ચાલકો કેદ થયા


મૃતકની ઓળખ ચંદન કુમાર તરીકે થઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે મલ્લેહપુરમાં બે લોકોને ગોળી મારવામાં આવી હતી, બરૌની થર્મલ પાવર સ્ટેશન ચોક પાસે ત્રણ લોકોને ગોળી મારવામાં આવી હતી, બેને બરૌની શહેરમાં, બેને તિહરા બ્લોકમાં અને બેને બછવારા બ્લોકમાં ગોળી વાગી હતી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.