અમેરિકાના F-15 વિમાનોએ સીરિયામાં કરી બોંબવર્ષા, 9 લોકોના મોત, ઈરાનના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યો


  • Published By :
  • Published Date : 2023-11-09 11:23:05

અમેરિકાએ બુધવારે પૂર્વી સીરિયા  (US Attack In Syria)માં હમાસને સમર્થન આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે બે અમેરિકન  F-15 એરક્રાફ્ટે અમેરિકન કર્મચારીઓ પર હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. યુદ્ધ મોનિટરએ જણાવ્યું હતું કે બુધવારના રોજ પૂર્વી શહેર ડેર એઝોર પર થયેલા હુમલામાં ઈરાન સમર્થિત જૂથો સાથે જોડાયેલા નવ લોકો માર્યા ગયા હતા. 


ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન 


ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા તેના મિત્ર દેશ ઈઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે, બુધવારે અમેરિકાએ પૂર્વ સીરિયામાં હમાસને ટેકો આપતા ઈરાન સાથે જોડાયેલા હથિયારોના સંગ્રહ કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને બે અઠવાડિયામાં આ બીજી વખત છે જયારે અમેરિકાએ સીરિયામાં કોઈ સ્થળને નિશાન બનાવ્યું હોય. આ હુમલામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા ઇરાન અને તેના સાથી દેશોના લડવૈયાઓને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


સ્વબચાવ માટે હુમલો કર્યો


ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે " અમેરિકન સૈન્ય દળોએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને પૂર્વ સીરિયામાં સંલગ્ન જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી સુવિધા પર સ્વ-રક્ષણ હુમલો કર્યો છે," ઓસ્ટીને વધુમાં જણાવ્યું કે, "આ હુમલો બે અમેરિકન F-15 દ્વારા હથિયારોના સંગ્રહની સુવિધા પર કરવામાં આવ્યો હતો. "આ ચોક્કસ સ્વ-બચાવ હુમલોએ અમેરિકન લોકો અને ઇરાક અને સીરિયામાં તેમની સુવિધાઓ સામે IRGC-Quds ફોર્સ સાથે સંકળાયેલા શ્રેણીબદ્ધ હુમલાઓનો પ્રતિસાદ છે," ઉલ્લેખનિય છે કે ઈસ્લામિક સ્ટેટ જૂથને ફરી વધતા રોકવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 2,500 અમેરિકન સૈનિકો ઈરાકમાં અને લગભગ 900 અમેરિકન સૈનિકો સીરિયામાં તૈનાત છે.



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?