અમેરિકામાં ટેકનિકલ ખરાબીના કારણે તમામ ફ્લાઈટ જમીન પર, એરપોર્ટ પર અંધાધુંધી


  • Published By :
  • Published Date : 2023-01-11 18:25:26

અમેરિકામાં તમામ ફ્લાઈટસને એક ટેકનિકલ ખરાબીના કારણે ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. ખરાબ થયેલી સિસ્ટમ ઉડાન દરમિયાન પાયલોટોને જોખમો કે એરપોર્ટની ફેસિલિટી સર્વિસીસ અને તેના સંબંધીત પ્રક્રિયાઓમાં કોઈ બદલાવને લઈ ચેતવણી આપી હતી. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે એવિયેશન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આ હુકમ કર્યો છે. આ હુકમ બાદ અમેરિકાના તમામ એરપોર્ટ પર પેસેન્જરોની ભીડના કારણે અફરાતફરી મચી હતી. FAAએ જણાવ્યું કે તેમની ટીમ NOTAMSમાં આવેલી ટેકનિકલ ખામીને દુર કરવાના પ્રયાસો કરી રહી છે. 


ઓથોરિટીએ જાહેર કરી NOTAM


FAAએ તેની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે આ ટેકનિકલ ખરાબી બાદ NOTAM (નોટિસ ટૂ એર મિશન) જાહેર કરવામાં આવી છે. NOTAM NOTAM એક ચેતવણી હોય છે. જેમાં એક નિશ્ચિત હવાઈ વિસ્તારમાં તમામ ઉડાનોને પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. NOTAM ઘણી વખત મિસાઈલ કે બીજા હવાઈ ઉપકરણોના પરીક્ષણ દરમિયાન જાહેર કરવામાં આવે છે. જેમાં સામાન્ય વિમાન પરિચાલનને જોખમ ઉભું થવાની આશંકા જોવા મળે છે.


સિસ્ટમમાં સુધારા બાદ જ ફ્લાઈટને મંજુરી


ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેઅરે જણાવ્યું છે કે સવારે 5.31 વાગ્યાથી 400થી વધુ ફ્લાઈટ અમેરિકાની અંદર કે બહાર નિર્ધારીત સમયથી મોડી ચાલી રહી છે. FAAએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું કે તેમના ટેકનિશિયન વર્તમાનમાં સિસ્ટમ યથાવત કરવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ ખરાબીને દુર કરવામાં આવ્યા બાદ તમામ ફ્લાઈટને એક નિશ્ચિત ક્રમમાં બીજી વખત ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે