અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કી આવ્યા ગુજરાત, CM સાથે મુલાકાત, સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલનું આયોજન


  • Published By : Admin
  • Published Date : 2025-04-26 18:00:48

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.


ભારત અને અમેરિકાએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે એકબીજા સાથે જોડાણ કરવાનો નિર્ધાર કર્યો


TRUST ("Transforming the Relationship Utilizing

Strategic Technology”)ના માધ્યમથી જોડાણ વધારશે..


અમદાવાદ ટેકનોલોજીના શિક્ષણ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટેનું હબ બની રહે અને રોકાણ વધારે આવે એ માટે ચર્ચા કરવામાં આવી, અમેરિકા સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ વધારે અને અમદાવાદ એનું હબ કેવી રીતે બની શકે એવી ચર્ચા કરવામાં આવી. આ ઉદ્યોગ માટે જરૂરી એન્જીનિયર, ઈકો સિસ્ટમ બધું જ મેનેજ થઈ શકે એ માટે ગુજરાત સરકાર પણ પ્રયત્ન કરશે.

https://x.com/CMOGuj/status/1915440395766603981




દુનિયાની નજર ભારત તરફ

વિશ્વમાં વધી રહેલા ટ્રેડના સંઘર્ષો અને ડહોળાતા વાતાવરણ વચ્ચે ભારત સેમિકન્ડક્ટર અને બાકીનાં ઉદ્યોગો માટે હબ બની શકે એમ છે. અમદાવાદ પાસે ધોલેરામાં આ પ્રકારે આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. અમેરિકા સહીતના દેશોનો વધતો રસ ભારત માટે પણ સારા સંકેતો છે.





૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .