યુપીની સિંગર નેહા સિંહ રાઠોડનું નવું ગીત 'ગુજરાત મેં કા બા?' રિલીઝ, મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સરકાર પર નિશાન સાધ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 12:44:38

નેહા સિંહ રાઠોડ બિહારની પ્રખ્યાત લોક ગાયિકા છે. હવે તેનું નવું ભોજપુરી ગીત ગુજરાત મેં કા બા? બહાર પાડવામાં આવ્યું છે. આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ગુરુવારે સાંજે, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. જોકે, બચાવ કાર્યમાં સેનાના જવાનો અને NDRFની ટીમના સંયુક્ત ઓપરેશનમાં 170 લોકોને બચાવી લેવાયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક સાથે 400 થી વધુ લોકો પુલ પર સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે મોરબીનો લટકતો પુલ 7 મહિના બાદ ફરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ આ અકસ્માત થયો હતો. આ કેસમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


આ ગીત કોંગ્રેશના મહિલા નેતા સુપ્રિયા શ્રીનાતેએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી લખ્યું "गुजरात मॉडल तो रंगा सियार बा गुजरात में का बा?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.