ઉત્તર પ્રદેશ - KDA ના રહીશોએ કંટાળીને પોતાના ઘરને તોડવાની અપીલ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:05:39

ઉત્તરપ્રદેશની યોગી સરકાર ગુનેગારોની ઈમારતો પાડવાની કામગીરી કરી રહી છે જેનો વિરોધ અનેક રાજનેતાઓએ કર્યો હતો. પરંતુ તે બાદ પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટી ઉઠાવે તો ઠીક પરંતુ આ વખતે આવી પરિસ્થિતિનો લાભ સામાન્ય જનતાએ લીધો છે. કેડીએ રેસિડેન્સીના રહીશોએ પોતાના ઘર તોડવાની આજીજી યોગી સરકારને કરી છે.

પોસ્ટર લગાવી કર્યો અનોખો વિરોધ 

વરસાદ વખતે આ બિલ્ડીંગના બીમમાંથી પાણી ટપકવા લાગ્યું હતું જેને કારણે રહીશો વિરોધ કરી રહ્યા છે. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ કેડીએ રેસિડેન્સીમાં 250 જેટલા પરિવારને ઘર વેચ્યા હતા. આશરે 3 વર્ષ જેટલા સમયમાં જ બીમમાંથી પાણી ટપકવા લાગ્યું છે. રહીશોએ આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવ્યો હતો.

 


 પોતાના ઘરને તોડવાની કરી માગ

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રહીશોએ બેનરો લગાવી પોતાની બિલ્ડીંગને પાડી નાખવા યોગી સરકારને ભલામણ કરી હતી. ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ લગાવતા કહ્યું કે KDA અધિકારીએ કમિશન ખાઈને અમારા મૃત્યુ માટે ફ્લેટ બનાવ્યો છે.

મહત્વનું છે કે કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી સેંકડો ખરીદારોએ ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ માત્ર 3 વર્ષમાં બિલ્ડીંગની આવી હાલત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે. કાનપુરમાં કેડીએ રેસિડેન્સી એપાર્ટમેન્ટને એક વૈભવી હાઉસિંગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો રહે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે