યુપી પોલીસે 'UP મેં કા બા’ ફેમ સિંગર નેહા સિંહને ફટકારી નોટિસ, યુપીમેં કા બા સીઝન-2 ગીત પર છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-22 13:17:20

આજકાલ ડિઝિટલ યુગનો જમાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ફેમસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક વખત એવી વાતો કહી દેતા હોય છે જેને કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે યુપી મેં કા બા ફેમ નેહા સિંહ રાઠોડની મુશ્કેલીમાં વધારો થયો છે. મંગળવારે યુપી પોલીસે તેમને નોટિસ ફટકારી છે. કાનપુર આગની ઘટનાને લઈ નેહા દ્વારા બનાવામાં આવેલા ગીતને લઈ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે નેહા વીડિયો દ્વારા સમાજમાં નફરત અને તણાવ ફેલાવાનું કામ કરે છે. નોટિસમાં પોલીસ દ્વારા 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો ખુલ્લાસો ત્રણ દિવસની અંદર કરવા કહેવાયું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

 

પોલીસે નેહાને ફટકારી નોટિસ 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકો ફેમસ થઈ જતા હોય છે. મોટી સંખ્યામાં તેમના ફેન ફોલોઈંગ હોય છે. અનેક વખત તેમના પોસ્ટને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે યુપીમેં કા બા ફેમ નેહા રાઠોડને પોલીસે નોટિસ ફટકારી છે. નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર એક વીડિયો બનાવ્યો હતો. નેહાએ કા બા સિઝન 2  ગીત ગાયું જેમાં આ ઘટના પર વાત કરવામાં આવી છે. 


નોટિસમાં નેહાને પૂછાયા છે સાત પ્રશ્નો

મંગળવાર સાંજે નેહા રાઠોડે પોતાના ટ્વિટર અકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નેહાને નોટિસ ફટકારી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કા બા સીઝન 2 વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવાનું કામ કર્યું છે. કાનપુર પોલીસની એક ટીમે મંગળવાર રાતે  નેહા સિંહને નોટીસ ફટકારી છે. નોટિસમાં પોલીસે નેહાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તેમણે ગાયેલા ગીતો તેણે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીત લખવા અને ગાવાનો આધાર શું છે. જવાબ આપવા પોલીસે ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસમાં યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.    




જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે