રાજયમાં માવઠાના કારણે ઘઉંના ભાવ આસમાને, ગૃહિણીનોનું બજેટ ખોરવાયું


  • Published By :
  • Published Date : 2023-04-03 13:42:35

ગુજરાતમાં થઈ રહેલા સતત માવઠાંના કારણે ખેતીના ઉભા પાકને જબરદસ્ત નુકસાન થયું છે. જો કે સૌથી વધુ નુકસાન ઘઉં અને કેરીના પાકને થયું છે, આ જ કારણે બજારમાં ઘઉંની ભારે અછત સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંના ભાવમાં 40 ટકા જેટલો વધારો થયો છે. રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પણ સારી ક્વોલિટીના ઘઉંની આવક ઓછી થઇ રહી છે. જેની સામે માંગ વધુ હોવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વેપારીઓ અનુસાર, આગામી દિવસોમાં ઘઉંની કિંમતમાં હજુ પણ વધારો થાય તેમ છે. ઘઉંના ભાવમાં ફડકો થતાં ગુજરાતીઓની પ્રિય રોટલી પણ મોંઘી બની છે.


ગૃહિણીનોનું બજેટ ખોરવાયું


ગુજરાતમાં દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ઘઉંની સિઝનમાં ગૃહિણીઓ બાર મહિના માટે ઘઉંની ખરીદી કરતા હોય છે. આ સમયે ઘઉંના ઉંચા ભાવની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે. ઘઉંની વિવિધ ક્વોલિટીના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 900 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની માંગ અને ભાવ બન્નેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘઉંની કિંમતમાં વધારો થતાં તૈયાર લોટના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તૈયાર લોટના ભાવમાં કિલોગ્રામ દીઢ 15થી 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.


ઘઉંનો ભાવ કેટલો વધ્યો?


રાજ્યમાં હાલ સારી ગુણવત્તાના દાઉદખાની ઘઉંની કિંમતમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. 100 કિલોગ્રામ ઘઉંનોનો ભાવ 6800 રૂપિયા જેટલો છે. જે ગત વર્ષ કરતાં 40 ટકા વધુ નોંધાયો છે. બીજી બાજુ, શિહોરી ટૂકડીનો ક્વિન્ટલ દીઠ ભાવ 4500 છે, જે ગત વર્ષે 3900 રૂપિયા જેટલો હતો. રજવાડી બંસીનો ભાવ 4300 છે, જે ગત વર્ષે 3800 રૂપિયા જેટલો હતો. લોકવનનો ભાવ 3500 છે, જે ગત વર્ષે 2900 રૂપિયા હતો. આમ, ઘઉંની વિવિધ ક્વોલિટીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડી છે. નબળી ગુણવત્તા છતાં ભાવમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.