શીતલહેર વચ્ચે આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-12 09:32:57

દેશના ઉત્તરભારતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેરને કારણે લોકોને હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સમયમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ  હિમનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી 

ઠંડીનો ચમકારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આવનાર દિવસોમાં ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. દિલ્હીમાં ઠંડીને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બિહારમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. 


હિમવર્ષા થવાની કરાઈ આગાહી 

ઉત્તરપ્રદેશની સાથે હિમાચલપ્રદેશ, લદ્દાખ તેમજ કાશ્મીર માટે પણ આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં પણ હિમવર્ષાનું એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ પડવાને કારણે બે ઋતુનો અહેસાસ થઈ શકે છે. ઉપરાંત અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ પર જોવા મળી રહ્યું છે.  


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.