રાજ્યના 212 તાલુકામાં કમોસમી વરસાદ 14 લોકોના મોત, ખેડૂતોનો ઉભા પાક નષ્ટ, જુઓ તસવીરી ઝલક


  • Published By :
  • Published Date : 2023-11-26 20:43:03

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમાન રાજકોટ જામનગર રોડ હાઇવે પર આવેલું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રાજ્યના અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. રાજ્યમાં 14 લોકોના મોત થયા છે તો 39 પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે.. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસ, મગફળી, જીરૂ વગેરે પાકોમાં કરોડોનું નુકશાન થયો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં માવઠાના કારણે સર્જાયેલી તબાહીની તસવીરી ઝલક અહીં રજુ કરવામાં આવી છે. જેનાથી ખબર પડશે કે આ મુસીબતના માવઠા શું પરિસ્થિતી સર્જી છે.





















21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.