ભર ઉનાળે આવશે કમોસમી વરસાદ, જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-05-08 12:56:14

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધ્યો હતો અને આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...  


રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

ગરમીનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.. તાપમાનના પારામાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. મતદાનના દિવસે પણ ગરમીનું પ્રમાણ વધારે હતું.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.. આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ રાજ્યના અનેક ભાગો માટે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે..   



ક્યાં માટે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી? 

હવામાન વિભાગે હિટવેવની પણ આગાહી અનેક જગ્યાઓ માટે કરી છે.. દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરાઈ છે.  દીવ અને ભાવનગરના તાપમાનમાં વધારો થઈ શકે છે અને તે બાદ 12 અને 13 મેના રોજ પ્રી મોનસૂન એક્ટિવિટી થવાને કારણે અનેક ભાગોમાં વરસાદની સંભાવના રેહલી છે.. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નર્મદા તેમજ ડાંગમાં વરસાદ આવી શકે છે તેવું અનુમાન છે..  



અંબાલાલ કાકાએ પણ કમોસમી વરસાદને લઈ કરી આગાહી...

મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર મે મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. મે મહિનામાં કેટલા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે.. પાક નિષ્ફળ જવાથી તેમને નુકસાન ભોગવવાનો વારો આવે છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.