અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-23 21:29:59

રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે ઢળતી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યાર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા,નિધરાડ, સાણંદ, એસ.જી હાઈવે, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે જ પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડુતોની સ્થિતી ચિંતાજનક બની છે.


સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર


રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તે જ પ્રકારે ભાવનગર શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મહુવાના કળમોદર, વાવડી, કોટિયા ગામમાં વરસાદ વરસ્યો હતો. મહુવાના નવાગામ, રતનપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.


ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું


કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!