કમોસમી વરસાદે ખેડૂતોને ભર ઉનાળે રડાવ્યા! પાકને થયેલા નુકસાન માટે સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-21 17:37:05

ઉનાળામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અનેક જગ્યાઓ પર વરસેલા કમોસમી વરસાદે પાકોને મોટા પાયે નુકસાન કરાવ્યું છે. જેને કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માવઠાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. કમોસમી વરસાદને કારણે કોઈના જીરાનો પાકને નુકસાન થયું છે તો કોઈનો કપાસના પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદ પડતા તલ, જીરૂ, રાયડો, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું હતું. ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોઓ મડદાના કપડા એટલે કે ખાપણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

   

ખરખરો કરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું આવવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સુધી માવઠાને કારણે થયેલા નુકસાન અંગેની વાત પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તો અપનાવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પંચાયત ખેતીવાડી અધિકારીને ખરોખરો કરી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સર્વે કરીને પાક વિમો આપવામાં આવે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.