રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, માવઠાની આગાહીએ જગતના તાતની ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-14 16:34:19

ગુજરાતના વિવિધ ભાગોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં અચાનક જ પલટો આવતા અમદાવાદના SG હાઈવે, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં બપોર પછી વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માવઠાની આગાહી કરી છે.


રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી


રાજ્યના હવામાન વિભાગે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લઇ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આશંકાએ ખેતરમાં ઉભેલા પાક જેવા કે રાજગરો, રાઈડો, તથા શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


ઠંડીનું પ્રમાણ ઘટ્યું


રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉચકાતાં અચાનક જ ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. તેમ છતાં સુસવાટા મારતો પવન પણ ફૂંકાઇ રહ્યો છે. મંગળવારથી રાજ્યમાં ગરમીની અનુભૂતી થવા લાગી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી ઉંચકાયો છે. મંગળવારે શહેરનું તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ છે. જે રવિવારના રોજ માત્ર 14.6 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 20.4 ડિગ્રી અને સુરતમાં 22.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!