ગુજરાત માટે ફરી કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી! આ તારીખે માવઠાને કારણે વધી શકે છે ધરતીપુત્રોની ચિંતા!


  • Published By :
  • Published Date : 2023-05-26 11:06:26

રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં પલટો આવતા મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 28મે અને 29મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આણંદ, વડોદરા, ભરૂચ, મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામશે. 

આ વિસ્તારોમાં વરસી શકે છે માવઠું!

વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ આ વરસેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી. અનેક પાક નિષ્ફળ ગયા હતા. કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને સાયક્લોનિસ સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 28મે અને 29મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં માવઠાને કારણે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. 



કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની કરાઈ આગાહી!

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર તારીખ 28 મે  અને 29 મેના રોજ લોકસ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, બોટાદ, વડોદરા. ભરૂચના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ કરી હતી વરસાદની આગાહી! 

વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી. અંબાલાલ પટેલે 25મે થી 29મે સુધીમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. તે સિવાય ભારે પવન ફૂંકાવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યત્વે ભાગોમાં વરસાદી માહોલ જામશે.



          




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.