Unseasonal Rain : ખેડૂતોના હાલ બેહાલ! માવઠાને કારણે પાકને થયું વ્યાપક નુકસાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 09:37:19

ખેડૂતોની ચિંતા વરસાદને કારણે વધી છે. આ વખતનું ચોમાસું એકદમ અનિયમિત અને અનિશ્ચિત હતું જેને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી જ્યારે આવ્યો ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતો ગયો. ખેડૂતોનું જીવન વરસાદ પર નિર્ભર રહેલું છે. માપસર વરસાદ આવશે તો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તેનાથી ઓછો અથવા તો વધારે વરસાદ ખેડૂતોને રડાવીને જતો હોય છે. શિયાળાની સિઝનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલતી હોય તેવું લાગે છે કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું વરસી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.  


રવિ પાકને મોટા પાયે માવઠાને કારણે થયું નુકસાન 

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી જે મુજબ ગઈકાલથી કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જુનાગઢમાં ચાલતી લીલી પરિક્રમામાં ગયેલા ભક્તો અટવાયા હતા જ્યારે બહાર ગયેલા પ્રવાસીઓ પણ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. રવિ પાકને માવઠાને કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેણે ખેડૂતોને બેબસ કરી દીધા છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, જીરૂ, તુવેર તેમજ કપાસના પાકમાં નુકસાન થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. 


ખેડૂતોની આંખોમાં આસું!

કમોસમી વરસાદને કારણે ઉભા પાકને મોટા પાયે નુકસાન થયું છે જેની સીધી અસર ખેડૂતો પર પડી છે. સમગ્ર ગુજરાતમાં હજારો હેક્ટરમાં ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો દુખી થયા છે. ખેડૂતોની આંખો ભરાઈ આવી છે. ખેતરમાં કરેલા શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પાપડી, ગવાર, રિંગણ સહિતના શાકભાજીને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકોને પણ નુકસાન થયું છે. મગફળીને પણ મોટા પાયે નુકસાન થયું છે. 



આવનાર સમયમાં વધી શકે છે શાકભાજીના ભાવ!

તે ઉપરાંત જામનગરના બજરંગપૂર ગામમાં વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.  કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. મહત્વનું છે કે કુદરતી આફતોની સીધી અસર જગતના તાત પર પડતી હોય છે. મહત્વનું છે કે પાકને થતા નુકસાનની સીધી અસર તેના ભાવ પર પડશે. આવનાર સમયમાં ઘઉં, ચોખા સહિત શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધારો થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!