Gujarat પર ઘેરાતા કમોસમી વરસાદના વાદળ! હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કઈ તારીખે આવી શકે છે મુસીબતનું માવઠું?


  • Published By :
  • Published Date : 2024-01-04 15:41:36

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. દેશના અનેક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેને કારણે વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું  

છેલ્લા થોડા દિવસોથી ગુલાબી ઠંડીનો નહીં પરંતુ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટા વહી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવું અનુમાન હતું પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.


જગતના તાતનું વધ્યું ટેન્શન 

ડિસેમ્બરના શરૂઆતમાં જ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પાક બળી ગયા હતા, ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. વરસાદ જોઈએ ત્યારે સમયસર આવતો નથી અને કમોસમી વરસાદથી ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. ત્યારે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી પડે છે કે નહીં તે જોવું રહ્યું   



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .