UIDAIની મોટી જાહેરાત, હવે ફ્રીમાં આ તારીખ સુધી અપડેટ કરાવી શકાશે આધાર


  • Published By :
  • Published Date : 2023-06-15 20:57:34

હવે આધારને લઈને મોટા સમાચાર આવ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધાર ઓથોરિટીએ એવા યુઝર્સને તાત્કાલિક આધાર અપડેટ કરવાની અપીલ કરી છે, જેમણે આધાર જારી કર્યાના 10 વર્ષ પછી પણ વિગતો અપડેટ કરી નથી. આધાર ઓથોરિટીએ ફ્રી અપડેટ સર્વિસને 3 મહિના માટે લંબાવી છે.


લોકો માટે રાહતના સમાચાર


જે લોકોએ અત્યાર સુધી પોતાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેવા લોકો માટે આ મોટા રાહતના સમાચાર છે. હવે લોકોને આધાર અપડેટ કરાવવા માટે વધુ સમય મળી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આધારને ઓનલાઈન ફ્રી અપડેટ કરાવી શકાય છે, તે ઉપરાંત નજીકના આધાર સ્ટોર અને પોસ્ટ ઓફિસ સ્ટોર પરથી પણ આધાર અપડેટ કરાવી શકાય છે.  


પહેલા 14 જૂન હતી છેલ્લી તારીખ


અત્રે ઉલ્લેખનિય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર યુઝર્સને ડેમોગ્રાફિક ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરાવવા માટે 15 માર્ચથી જુન 2023 સુધીનો સમય આપ્યો હતો. 14 જુનની ડેડલાઈન હવે સમાપ્ત થઈ ગઈ છે. આ જ કારણ હવે UIDAIએ ફ્રી ડિટેલ્સ અપડેટ કરવાની મુદ્દતને 14 સપ્ટેમ્બર સુધી આગળ વધારી દીધો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.