યોગ કરી કેન્દ્રીય મંત્રીઓએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ કર્યો યોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-21 10:39:31

21 મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે તે માટે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને લઈ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં આજે લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવી રહ્યા છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કરવાના છે. તે સિવાય ભારતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, રાજનાથ સિંહ, અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ યોગ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીઓએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 

સદીઓથી ભારતમાં યોગનું વિશેષ મહત્વ રહેલું છે. પ્રાચીન કાળથી ઋષિમૂનીઓએ યોગનું મહત્વ સમજાવ્યું છે. ત્યારે વિશ્વ યોગનું મહત્વ સમજે તે માટે 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સ્થળો પર આનું આયોજન કરવામાં આવતું હોય છે. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મુખ્યમંત્રીઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોરમાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તે ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રીએ આઈએનએસ વિક્રાંત પર યોગ કર્યો હતો. તે સિવાય સ્મૃતિ ઈરાનીએ પણ યોગ કર્યો હતો ઉપરાંત અનુરાગ ઠાકુરે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. પિયુષ ગોયલે પણ યોગ કરી યોગ દિવસને મનાવ્યો હતો. તે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ યોગ કરી સંદેશો પાઠવ્યો હતો.

 


રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ દિવસ નિમિત્તે કર્યો યોગ 

કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીઓએ પણ યોગ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યોગ કરતા દેખાયા હતા, તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી પણ યોગ કરતા દેખાયા હતા.આસામના મુખ્યમંત્રીએ પણ યોગ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.     

  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!