કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલેની વિવાદિત ટ્વિટ, આંબેડકરની 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં હોવાની કરી વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:14:42

થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ નેતા રાજેન્દ્ર ગૌતમનો એક વીડિયો વાયરલ થયો હતો. ધર્માંતરણનો વીડિયો વાયરલ થતા રાજનીતિ ગરમાઈ ગઈ હતી. વીડિયોમાં પૂર્વ નેતા બાબા સાહેબ દ્વારા ઘડાયેલી 22 પ્રતિજ્ઞાની શપથ લેતા નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ રાજેન્દ્ર ગૌતમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલે પોતે 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરતા નજરે પડયા છે. પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તેમણે ટ્વિટ કરી હતી કે બૌદ્ધ હોવાને નાતે હું આ 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરું છું. આ 22 પ્રતિજ્ઞાઓ પર મને ગર્વ છે અને બધાએ પોતાના જીવનમાં આ સ્વીકારવું જોઈએ.

રામદાસ આઠવાલે આવ્યા 22 પ્રતિજ્ઞાઓના સમર્થનમાં  

આપણા દેશમાં ધર્મને લઈ હમેશાં રાજનીતિ ગરમાતી રહે છે. કોઈને કોઈ કારણોસર ધર્મને લઈ દેશમાં રાજનીતિ થઈ રહે છે. થોડા સમય પહેલા ધર્મનો વિવાદ છેડાતા દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલને રાજીનામું આપી દેવું પડ્યું હતું. વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બૌદ્ધ ધર્મમાં માનનાર ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલી 22 પ્રતિજ્ઞા લેતા નજરે પડ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણાવામાં આવી હતી. પરંતુ હવે 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવ્યા છે.

      

શું કેન્દ્રીય મંત્રીનું લેવાશે રાજીનામું?

ત્યારે હવે એક સવાલ થવો સ્વાભાવિક થઈ છે કે જેમ આપ નેતાના વીડિયો બાદ ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. હિંદુત્વના ઠેકેદાર બની અનેક સંગઠનોએ આ વાતનો વિરોધ કર્યો હતો. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. વિવાદ ઉગ્ર બનતા નેતાએ પોતાના પડ ઉપરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું ત્યારે શું હવે પણ આ વસ્તુ થશે. પોતાને હિંદુ ધર્મના ઠેકેદાર માનતા લોકો અથવા સંગઠનો આનો વિરોધ કરશે? શું કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લેવામાં આવશે? વીડિયો વાયરલ થયા આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણી દેવામાં આવતી હોય તો શું આ ટ્વિટને લઈ વિવાદ નહીં છેડાય?              



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે