કેન્દ્રીય મંત્રી Prahlad Patelની ગાડી બાઈક સાથે અથડાઈ, એકનું મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:18:34

થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. વિજય રૂપાણીના કાફલા સાથે રહેતી પોલીસની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. એ અકસ્માતમાં એક દાદાને ઈજા પહોંચી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ અકસ્માતમાં બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત ત્રણ લોકો આ અકસ્માતને કારણે ઘાયલ થયા છે. 

union minister Prahlad Singh Patel Accident

પ્રચાર માટે જઈ રહ્યા હતા કેન્દ્રીયમંત્રી 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલા રાજ્યો માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશનમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મંત્રીનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો તે વખતે બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ઘટના સર્જાતા મંત્રીનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું. એવી માહિતી પણ સામે આવી છે કે વાહનચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાઈક રોંગ સાઈડ પર આવી રહી હતી.


બાઈક સવારનું થયું મોત   

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યકિતનું મોત થયું છે તેમનું નામ નિરંજન ચંદ્રવંશી છે. તે ટિચર છે અને તે ભૂરા મોહગાંવના રહેવાસી છે. જે વખતે અકસ્માત સર્જાયો ત્યારે બાઈક પર તેમની સાથે ત્રણ બાળકો પણ હતા. તે બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. આ ઘટનામાં બાળકોને ઈજાઓ પહોંચી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.