કેન્દ્રીય મંત્રી Prahlad Patelની ગાડી બાઈક સાથે અથડાઈ, એકનું મોત જ્યારે અનેક લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-08 11:18:34

થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. વિજય રૂપાણીના કાફલા સાથે રહેતી પોલીસની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. એ અકસ્માતમાં એક દાદાને ઈજા પહોંચી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ અકસ્માતમાં બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત ત્રણ લોકો આ અકસ્માતને કારણે ઘાયલ થયા છે. 

union minister Prahlad Singh Patel Accident

પ્રચાર માટે જઈ રહ્યા હતા કેન્દ્રીયમંત્રી 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલા રાજ્યો માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશનમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મંત્રીનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો તે વખતે બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ઘટના સર્જાતા મંત્રીનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું. એવી માહિતી પણ સામે આવી છે કે વાહનચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાઈક રોંગ સાઈડ પર આવી રહી હતી.


બાઈક સવારનું થયું મોત   

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યકિતનું મોત થયું છે તેમનું નામ નિરંજન ચંદ્રવંશી છે. તે ટિચર છે અને તે ભૂરા મોહગાંવના રહેવાસી છે. જે વખતે અકસ્માત સર્જાયો ત્યારે બાઈક પર તેમની સાથે ત્રણ બાળકો પણ હતા. તે બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. આ ઘટનામાં બાળકોને ઈજાઓ પહોંચી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.     



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.