પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે અને રહેશે: પરષોત્તમ રૂપાલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:50:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યના ખુણે-ખુણે પ્રયાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ બની રહે તેવી સ્થીતી સર્જાઈ છે. રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો હતો જો કે આ વખતે પરિસ્થિતી તદ્દન વિપરીત છે.  આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. AAP કેટલી બેઠક જીતે છે તેના કરતા ભાજપ કે  કોંગ્રેસમાંથી કઈ પાર્ટીના વોટ તોડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ પણ ત્રિપાંખિયા જંગથી ચિંતિત બન્યા છે. ભાજપે તો તેના અગ્રણી નેતાઓની રીતસર ફોજ જ ઉતારી દીધી છે.


સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની: રૂપાલા


આજે અરલલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રચાર બાદ  મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પરષોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.  આ પ્રેસ કોંફરન્સ તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે.. ભૂતકાળમાં ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની પણ તેનાથી કોઈ ફરક પડશે નહીં. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.