"ભારત જ્યાંથી ઈચ્છે ત્યાંથી ખનીજ તેલ ખરીદશે" : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:56:59

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે તે ભારત સરકારની નૈતિક ફરજ છે કે તે તેના નાગરિકોને ઉર્જા પ્રદાન કરે અને તે ગમે ત્યાથી ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે. પુરીએ વધુમાં કહ્યું કે વિશ્વના કોઈપણ દેશે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જે બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે.


   પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શું કહ્યું 


હરદીપ પુરીએ કહ્યું હતું કે, "ભારત જ્યાંથી ઇચ્છે ત્યાંથી તેલ ખરીદશે, તેનું સીધુ કારણ એ છે કે આ પ્રકારની ચર્ચાઓને ભારતની વપરાશ કરતી વસ્તી સુધી લઈ જઈ શકાય નહીં. ભારતની પ્રાથમિકતા તેના લોકોને ઉર્જા પૂરી પાડવાની છે."


રશિયા પાસેથી આયાત એપ્રિલથી 50 ગણી વધી


ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે. હવે તે વિદેશમાંથી ખરીદાયેલા તમામ ક્રૂડના 10 ટકા જેટલો હિસ્સો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી કુલ આયાતના માત્ર 0.2 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.