ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 09:49:46

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિધાનસભા ક્ષેત્રમાં ફરી આ યાત્રામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં હાજરી આપી રહ્યા છે. દ્વારકાથી નીકળેલી આ યાત્રા ધાંગધ્રાના ચરમિયા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં અનુરાગ ઠાકુરે અને પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.  

કોંગ્રેસ પર આડકતરી રીતે કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી પર હુમલા કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ઈટાલિયનોને જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સો વર્ષીય માતાને રાજકારણમાં ખેંચવાનું કામ પણ આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું છે. આવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.  

Image

દિલ્હીના મુખ્યમંત્રી ગેરંટી વહેંચી રહ્યા છે - અનુરાગ ઠાકુર 

અરવિંદ કેજરીવાલ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. કેજરીવાલ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં ગેરંટી વહેંચી રહ્યા છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાએ તેમને નકારી કાઠ્યા છે, જેને ગુજરાતની જનતા પણ સ્વીકારશે નહીં.

 

આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે - અનુરાગ 

પોતાની પાર્ટીના વખાણ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓના દિલમાં નિવાસ કરી રહ્યા છે. તેમણે વિકાસ જોયો છે. ડબલ એન્જિનની સરકાર જોઈ છે એટલે આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે.

   


આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.