ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 09:49:46

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિધાનસભા ક્ષેત્રમાં ફરી આ યાત્રામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં હાજરી આપી રહ્યા છે. દ્વારકાથી નીકળેલી આ યાત્રા ધાંગધ્રાના ચરમિયા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં અનુરાગ ઠાકુરે અને પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.  

કોંગ્રેસ પર આડકતરી રીતે કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી પર હુમલા કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ઈટાલિયનોને જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સો વર્ષીય માતાને રાજકારણમાં ખેંચવાનું કામ પણ આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું છે. આવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.  

Image

દિલ્હીના મુખ્યમંત્રી ગેરંટી વહેંચી રહ્યા છે - અનુરાગ ઠાકુર 

અરવિંદ કેજરીવાલ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. કેજરીવાલ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં ગેરંટી વહેંચી રહ્યા છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાએ તેમને નકારી કાઠ્યા છે, જેને ગુજરાતની જનતા પણ સ્વીકારશે નહીં.

 

આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે - અનુરાગ 

પોતાની પાર્ટીના વખાણ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓના દિલમાં નિવાસ કરી રહ્યા છે. તેમણે વિકાસ જોયો છે. ડબલ એન્જિનની સરકાર જોઈ છે એટલે આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે.

   


એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.