ચૂંટણીના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, પરિવાર સાથે કરશે દિવાળીની ઉજવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 12:25:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસો પણ વધી ગયા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કચાસ રાખવા નથી માગતી. જેને કારણે એક બાદ એક વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે અવાર નવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ફરી એક વખત 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

6 દિવસના પ્રવાસ માટે ગુજરાત આવશે અમિત શાહ 

દિલ્હી ખાતે અમિત શાહ રહે છે પરંતુ તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. અમિત શાહ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવશે. પોતાના પ્રવાસ દરમિયાન વલસાડ, બનાસકાંઠા તેમજ સોમનાથની મુલાકાત લેવાના છે. આજે રાતે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 22 તારીખે વલસાડની મુલાકાત લેવાના છે, 23 તારીખે વડોદરા, 24 તારીખે બનાસકાંઠામાં ભાજપનો પ્રચાર કરવાના છે. પોતાના પ્રવાસના અંતિમ દિવસે તેઓ સોમનાથ દાદાના દર્શને જવાના છે. 

Union Home Minister Amit Shah Will Reach Vadodara Tonight At 10 Pm |  Vadodara: ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

પ્રચારની કેટલી થશે મતદારો પર અસર 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે મતદારોને રિઝવવાનો પ્રયાસ દરેક પાર્ટી કરી રહી છે. પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ચૂંટણી નજીક આવતા પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓએ સંભાળી લીધી છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતા પ્રચારની અસર ચૂંટણી પરિણામ પર કેટલી પડશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.