કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 10:50:15

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે.  ત્યારે ભાજપના ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે ઉપરાંત અનેક જનસભાઓમાં ભાગ લઈ ભાજપનો પ્રચાર કરવાના છે. 

Amit Shah's meetings giving sleepless nights to BJP MLAs

અનેક કાર્યક્રમોમાં અમિત શાહ રહેશે હાજર 

અમિત શાહ પોતાના 2 દિવસ પ્રવાસ દરમિયાન આશરે 13 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે.  અમિત શાહ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે. નવરાત્રી હોવાથી તેઓ મેલડી માતાજીના દર્શન કરવાના છે. 2140EWS આવાસોનું તેમજ શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું તેઓ ખાતમૂહુર્ત કરવાના છે. તેઓ રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં તેઆ હાજરી આપવાના છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે


PM Modi's birthday today: Wishes pour in; Rahul Gandhi, Tharoor's messages  | Latest News India - Hindustan Times


વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે નવરાત્રી દરમિયાન તેઓ ફરી એક વખત માદરે વતન આવવાના છે. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે આવી, અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. માં અંબાજીના દર્શન કરવા પણ તેઓ જવાના છે. તેમના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.