કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviyaએ વધતા Heart Attackના કિસ્સાઓને લઈ આપ્યું નિવેદન, કહ્યું જો કોરોના થયો હોય તો....


  • Published By :
  • Published Date : 2023-10-29 18:27:07

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવે છે જેમાં એક નહીં પરંતુ અનેક યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. ગુજરાતમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અનેક લોકો એવું કહેતા હોય છે કે કોરોના વેક્સિનને કારણે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધતા હાર્ટ એટેક અંગે પ્રતિક્રિયા આપી છે.  

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ન માત્ર રાજ્ય સરકારની પરંતુ કેન્દ્ર સરકારની ચિંતા પણ વધી છે. કોરોના બાદ યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક યુવાનોનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. ગુજરાતમાં પણ પ્રતિદિન એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં યુવાનો તો ઠીક પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના મોત આને કારણે થયા છે. નવરાત્રી પહેલા અને નવરાત્રી પછી પણ અનેક લોકો મૃત્યુ પામ્યા છે કારણ કે તેમના હૃદયના ધબકારા બંધ પડી ગયા. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે રાજ્ય સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટી બનાવી છે જે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પર સ્ટડી કરશે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓનું એનાલિસીસ કરશે.. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

વધતા હાર્ટ એટેકને લઈ મનસુખ માંડવિયાએ આપ્યું નિવેદન

આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન હાર્ટ એટેકને લઈ આપ્યું છે. એક કાર્યક્રમ માટે ભાવનગર તેઓ પહોંચ્યા હતા અને તે વખતે જ્યારે તેમને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર  આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેતની ઘટનાથી બચી શકાય. 

  Heart Attack: More 3 person died due to heart attack in diamond city Surat Heart Attack: સુરતમાં હાર્ટએટેકના હાહાકાર, વધુ 3નાં મોત

સુરતમાં જ આજે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા 

મહત્વનું છે કે હાર્ટ એટેકના એટલા બધા કિસ્સાઓ વધી રહ્યા છે કે વ્યક્તિની અંતિમ ક્ષણ કઈ હશે તે જાણવું મુશ્કેલ છે. આપણી સામે સાજો ઉભેલો વ્યક્તિ ક્યારે મોતને ભેટે છે તેની ખબર નથી પડતી. કોઈ કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોના મોત થઈ રહ્યા છે. આજે પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એકલા સુરતમાં જ ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!