દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા બેઠક, આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-04-07 14:21:58

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતીએ જણાવ્યું કે કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્રએ કોવિડ-19 અને કેંદ્રશાસિત પ્રદેશો માટે નીતિ-નિયમો, નવા ગાઈડલાઈન્સ જાહેર કરી છે. વધતા કોરોના કેસને જોતા પુડુચેરીમાં માસ્ક લગાવવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.


દૈનિક કેસમાં થઈ રહ્યો છે વધારો 

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે ચિંતામાં વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં પોઝિટિવિટી દર 3.32 વધી રહ્યો છે. માર્ચના 31 દિવસોમાં કોરોનાના 31902 કેસ નોંધાયા હતા. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કેસ 20 હજારને પાર નોંધાઈ ગયા છે. માર્ચમાં રોજના સરેરાશ 1 હજાર નવા કેસ સામે આવી રહ્યા હતા પરંતુ એપ્રિલમાં રોજના સરેરાશ 4 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાને કારણે હજી સુધી 44739054 લોકો સંક્રમિત થઈ ગયા છે.       


રાજ્યની કોવિડ હોસ્પિટલમાં યોજાશે મોકડ્રીલ 

કોરોના સંક્રમણને લઈ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે XBB1.6સબ વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હાલ રાજ્યમાં 2141 એક્ટિવ કેસ છે. વધતા કોરોનાને લઈ 10 અને 11મી એપ્રિલે રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. જો ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 327 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.