Parliamentમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે શ્વેત પત્ર રજૂ, પરિવારવાદ પર નાણામંત્રીએ કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-02-09 13:32:11

સંસદમાં આજે કેન્દ્રીય નાણામંત્રી શ્વેત પત્ર રજૂ કરી રહ્યા છે. શ્વેત પત્રને રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પોતાના સંબોધનમાં નાણામંત્રીએ કોંગ્રેસના સમયનો ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલથી આને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકસભામાં શ્વેત પત્ર પર ચર્ચા કરતા નાણામંત્રીએ કહ્યું કે એક સરકારના 10 વર્ષ અમુક કટોકટી સાથે અને 10 વર્ષ અલગ સરકારના વિવિધ કટોકટી સાથે. આ 'વ્હાઈટ પેપર'માં દર્શાવેલ સરખામણી સ્પષ્ટપણે જણાવે છે કે જો સરકાર સાચી ઈમાનદારી, પારદર્શિતા અને રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને તેને કેવી રીતે હેન્ડલ કરે છે, તો તેના પરિણામો દરેકને જોવા માટે છે.

"જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો ત્યારે..."

કોંગ્રેસ પર તો તેમણે પ્રહાર કર્યા પરંતુ પરિવારવાદને લઈને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો, જ્યારે તમે તમારા કુટુંબને પ્રથમ સ્થાન આપો, અને જ્યારે તમારી પાસે પારદર્શિતા સિવાય અન્ય વિચારણા હોય, ત્યારે પરિણામો તમારા માટે બહાર છે. તેથી 2008 પછી શું થયું જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી અને કોવિડ પછી શું થયું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારનો ઉદ્દેશ નિષ્ઠાવાન હશે તો પરિણામો સારા આવશે...  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.