દેશના તમામ IITમાં 4502, IIMમાં 493 જ્યારે સેન્ટ્રરલ યુનિ.માં 6180 ફેકલ્ટીની જગ્યા ખાલી


  • Published By :
  • Published Date : 2022-12-13 15:56:49

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ IIT અને IIM પણ ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટેકનિકલ એજ્યુકેશન માટે સ્થાપિત તમામ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે IITમાં  4502 જગ્યાઓ ખાલી છે. તે જ પ્રકારે દેશમાં મેનેજમેન્ટના અભ્યાસ માટે બનેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMમાં પણ 493 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 33 ટકાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 


કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં  6180 જગ્યા ખાલી


સંસદ સભ્ય રવિકુમારે પૂછેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જણાવ્યું કે શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ આવતી 45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં નિયમિત રીતે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો કે તેમ છતાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી  6180 જગ્યાઓ ખાલી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.