આ બજેટથી શું રોજગારી વધશે, નાણામંત્રીએ નોકરીઓ વધારવા અંગે શું વાયદા કર્યા છે?


  • Published By :
  • Published Date : 2023-02-01 16:29:48

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બુધવારે, 1 ફેબ્રુઆરીના દિવસે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. આવી સ્થિતીમાં સીતારમણે તમામ મોટી જાહેરાત કરી છે. તેમણે બજેટ 2023માં રોજગારને લઈ શું જાહેરાતો કરી છે તે જાણીએ.


સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઈનોવેશન અને રિસર્ચ માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે. આનાથી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ડેટા એક્સેસ કરવાનું સરળ બનશે. આ યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરશે. આ યોજનાના અમલા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરો સ્થાપવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ચોથા તબક્કાની શરૂઆત કરવામાં આવશે.


 ગામડા સુધી રોજગાર

બજેટ 2023માં સરકારે ગામડાઓમાં યુવાનોને રોજગાર આપવાની વાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર ફંડની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરવામાં આવશે. આ માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

 

5Gથી રોજગારીનો માર્ગ

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, 5G સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવા બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઉભી કરવામાં આવશે. આ લેબ્સમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રિસાઈજન ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હેલ્થકેર જેવા ક્ષેત્રો માટેની એપ્સ વિકસાવવામાં આવશે.


શિક્ષકોની ભરતી, ડીજીટલ લાયબ્રેરી

બજેટ 2023માં આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે તેવું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. આ ઉપરાંત અનેક યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.