દેશમાં બેરોજગારીનો દર ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ બેકારો


  • Published By :
  • Published Date : 2023-04-04 18:27:15

કેન્દ્ર સરકારની પાંચ ટ્રિલિયનની ઈકોનોમીની વાતો વચ્ચે દેશમાં બેરોજગારીનું ચિત્ર ભયાવહ બન્યું છે. દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, મુંબઈ સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. CMIEના તાજેતરનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો છે. આ બેકારી દર ત્રણ મહિનાના સમયગાળામાં સર્વોચ્ચ સ્તરે છે. 


બેરોજગારીનું ભયાવહ ચિત્ર


CMIEના રિપોર્ટ મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.4 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 7.5 ટકાએ પહોંચ્યો છે. CMIEના ડાયરેક્ટર મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ ખુબ જ ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું. બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો. આની અસર લેબર ફોર્સ સહભાગીદારી દર પર પણ પડી હતી, લેબર ફોર્સ  પાર્ટીશિપેશન 39.9 ટકાથી ઘટીને 39.8 ટકા રહી ગઈ હતી. આ કારણે રોજગાર દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. રોજગારી  40.9 કરોડથી ઘટીને 40.760 કરોડ થઈ ગઈ છે.


હરિયાણામાં સૌથી વધુ બેકારી


દેશના વિવિધ રાજ્યોમાં બેરોજગારી દર પર એક નજર કરીએ તો હરિયાણામાં સૌથી વધુ (26.8 ટકા), ત્યાર બાદ રાજસ્થાન (26.4 ટકા)  જમ્મુ કશ્મિર (23.1 ટકા), સિક્કિમ  (20.7 ટકા), બિહાર (17.6 ટકા) , અને ઝારખંડ (17.5 ટકા) છે. જ્યારે બેરોજગારીનો સૌથી નીચો દર ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં જોવા મળ્યો, ત્યાર બાદ પોંડિચેરી, ગુજરાત,કર્ણાટક, મેઘાલય અને ઓડિશાનો નંબર આવે છે. 


નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી


દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈ અર્થતંત્રના નિષ્ણાતો ચિંતિંત છે. પ્રાઈવેટ સેક્ટર સાવધાનીથી આગળ વધી રહ્યું છે જેના કારણે રોજગારમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિકસ્તરે મંદીની અસર ભારત પર પણ જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.